આજનો મોર્નિંગ મંત
પરમાત્માના ચરણોમાં ડૉ. શરદ ઠાકરના વંદન. આજે પરમાત્માના મંદિર ર્વશે વાત નથી કરવી, પરંતુ આરોગ્યના મંદિર ર્વશે વાત કરવી છે. ત્રણ દિવસ પહેલા શનિવારે સાંજે અમદાવાદમાં રહેતા કેટલાંક સ્થાનિક મિત્રો સાથે ગોષ્ટી નો કાયયક્રમ બનાવ્યો હતો ચાય પે ચચાયમાં ભાગ લેવા માટે ભાઈઓ અને બહેનો આવી ગયા હતાં. મારો ગાઢ મિત્ર સમીર સમયસર પહોંચ્યો નહીં એટલે મેં એને ફોન કયો જે એણે રિસીવ કયો નહીં. મને આશ્ચર્ય થયું પણ એ વ્યસ્ત હશે એવું માનીને હું એ વાત ત્યારે તો ભૂલી ગયો.
બીજા દિવસે મેં ફરીથી ફોન કયો ત્યારે જાણવા મળયું કે આગલા દિવસે જ્યારે અમારી ગોષ્ટીમાં ભાગ લેવા માટે આવી રહ્યો હતો ત્યારે જ એક બેફામ વેગથી વાહન ચલાવતા કાર ચાલકે એને અડફેટમાં લઈ લીધો અને એને મલ્ટિપલ ઈજાઓ પહોંચી.
એના સ્વજનોએ તાત્કાલિક 108 બોલાવી લીધી અને તેને ડૉ.જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરી દીધો. આજે હું એની ખબર કાઢવા માટે મારી પત્નીની સાથે ગયો. એને ખૂબ વાગ્યું છે પણ સદ્ભાગ્યે શરીરના વાઈટલ ઓગયન્સને નુકશાન પહોંચ્યું નથી એટલે તે સાજો થઈ જશે. હરતાં ફરતાં થોડા દિવસ લાગશે પણ એ ખતરાની બહાર છે.
ડૉ.જીવરાજ મહેતા હોસ્પિટલમાંહું લગભગ પચીસેક વર્ષ પહેલાં એકવાર ગયો હતો, એ પછી આજે બીજીવાર ગયો. મારી ધારણા કરતાં હોસ્પિટલનું વાતાવરણ સાવ અલગ જ જોવા મળયું. આ પહેલાના બે ત્રણ સુપરીન્ટેન્ડેન્ટ સાહેબોએ મને ફોન કરીને હોસ્પિટલની વિઝિટ કરવા માટે મને આગ્રહ કયો હતો પણ હું જઈ શક્યો ન હતો. આજે ત્યાંના ર્સર્નયર કમયચારી અને મારા વાંચક મિત્ર, ઉત્સાહથી થનગનતા શ્રીરાજેશભાઈ જોશીએ મને આખી હૉર્સ્પટલ બતાવી, એક-એક વિભાગમાં લઈ જઈને ત્યાંના સ્પેશિયાલિસ્ટ્સ ડૉકટર સાથે ઓળખાણ કરાવી, ત્યાંના વોડયસ્, ઑપરેશન થીએટર, I.C.U. ઉપરાંત અલગ-અલગ વિભાગો બતાવ્યા. આ બધું જોયા પછી મારો ખ્યાલ ધરમૂળથી બદલાઈ ગયો.
કોઈ પણ બીમારી કે ઇમરજન્સી કેસની સારવાર માટે જરૂરી તમામ ઇન્વેસ્ટિગેશન, લેબોરેટરી ટેસ્ટ, અલગ- અલગ પ્રકાર ના વિશેષજ્ઞો અને તાકીદની સારવાર તથા ઑપરેશન માટેની સુવિધાઓ એક જ છત નીચે અહીં ઉપલબ્ધ છે, અહીંના વોર્ડસ, I.C.U. ઑપરેશન ર્થએટર, કન્સલ્ટિંગ રૂમ્સ, બધું જ મોકળાશ વાળું છે, અહીં જગ્યાની તંગી નથી. પાર્કિંગમાં પણ બસ્સોથી વધારે ગાડીઓ પાકય થઈ શકે છે. ટુ વ્હીલર્સ ની તો વાત જ નથી.
અહીંના ડૉક્ટરો હસમુખા અને મળતાવડા લાગ્યા, નર્સિંગ સ્ટાફ અને ચોથા વગયના કમયચારીઓ પણ દદીઓની સાથે હસીને વાત કરતા જોવા મળયા. અન્ય કોપોરેટ હોસ્પિટલમાં સામાન્ય જનોને ડૉક્ટરો તરફથી અતડું અને કમયચારીઓ તરફથી અપમાન જનક વર્તન જોવા મળે છે તેનો અહીં સદંતર અભાવ દેખાયો. અહીં ખૂબ રાહત દરે ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવે છે.
તમામ ડૉકટર મિત્રોને મારા નાના ભાઈ જેવા સમીરની ભલામણ કરીને લગભગ બે કલાકથી વધારે સમય હોસ્પિટલમાં પસાર કરીને હું અને મારા પત્ની ઘરે આવ્યા. એક સારી હોસ્પિટલ જોયાનો મને સંતોર્ પણ થયો અને આનંદ પણ થયો. જાત અનુભવથી હું કહી શકું કે શહેરના આ ભાગમાં રહેતા લોકોએ આટલી સરસ હોસ્પિટલનો લાભ અવશ્ય લેવો જોઈએ.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ડૉ.જીવરાજભાઈ મહેતાના નામ સાથે જોડાયેલી આટલી સરસ હોસ્પિટલ મને તો ખરેખર આરોગ્યના મંદિર જેવી જ લાગી.
ૐ નમ:ર્શવાય
ડૉ.શરદ ઠાકર